
ગેજેટ ડેસ્ક: છેલ્લા 6 મહિનાથી ઈનએક્ટિવ ટ્વિટર અકાઉન્ટને કંપની 11 ડિસેમ્બરથી કાયમ માટે બંધ કરવા જઈ રહી છે. છેલ્લા 6 મહિનામાં જે લોકોએ ટ્વિટર અકાઉન્ટ ઓપન નથી કર્યું કે કોઈ પોસ્ટ કે રિટ્વીટ નથી કર્યું તે લોકોને તેમના ટ્વિટર અકાઉન્ટને અલવિદા કહેવું પડશે.
ટ્વિટરમાં પહેલેથી ઈનએક્ટિવ પોલિસી છે. આ પોલિસી પ્રમાણે જો કોઈ યુઝર અકાઉન્ટ બનાવીને મૂકી દે છે અને 6 મહિનાથી કોઈ પોસ્ટ કે રિટ્વીટ નથી કરતું તો તેના અકાઉન્ટને ઈનએક્ટિવ કરીને ડિલીટ કરવામાં આવશે.
કંપનીએ આ બાબતે કહ્યું કે, 6 મહિનાથી યુઝરે તેનું અકાઉન્ટ યુઝ નહિ કર્યું હોય તો અમે તેને ફરીથી એક્ટિવ નહીં પણ કાયમી ડિલીટ જ કરીશું. આમ કરવા પાછળ ટ્વિટરને વધારે સારું બનાવવાનો હેતુ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33pSUcR
No comments:
Post a Comment