
ગેજેટ ડેસ્ક: દેશભરમાં કોરોનાવાઈરસને લીધે 14 એપ્રિલ સુધીલોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેથી અનેક લોકો પોતાના ઘર-પરિવારથી વિખૂટા પડ્યા છે. પરિવાર સાથે સંપર્ક કરવા ટેલિકોમ સેવાઓની આવશ્યકતા વચ્ચે એક રાહતના સમાચાર મળ્યા છે. સરકારની માલિકીની ટેલિકોમ કંપની BSNL અને પ્રાઈવેટ કંપની એરટેલે તેના પ્રેપેઈડ પ્લાનની વેલિડિટીમાં વધારો કર્યો છે. આ સેવાનો લાભ લૉ- એવરેજ રેવન્યુ પર યુનિટ ગ્રાહકોને મળશે.
સરકારી ટેલિકોમ કંપની BSNLએ તેના પ્રિપેઈડ યુઝર્સ માટે વેલિડિટીમાં 20 એપ્રિલ સુધી વધારાની જાહેરાત કરી છે. આ સાથે જ કંપનીએ ઝીરો બેલેન્સ હોવા પર એડિશલ 10 રૂપિયાનું ટોકટાઈમ આપવાની પણ જાહેરાત કરી છે. આ સેવાનો લાભ MTNL યુઝર્સને પણ મળશે. સૂચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરી તેની માહિતી આપી છે.
Now @BSNLCorporate & @MTNLOfficial will extend validity period of their pre-paid mobiles upto 20 April 2020 & provide ₹10 of additional talk time even after zero balance.
— Ravi Shankar Prasad (@rsprasad) March 30, 2020
This will enable poor people make calls for help even if they don’t have any balance left.#21daysLockdown
એરટેલ કંપનીએ પણ લોકડાઉનને ધ્યાનમાં રાખતા ટોકટાઇમ પ્રિપેઈડ પ્લાનની વેલિડિટી 17 એપ્રિલ સુધી વધારી છે. જોકે કંપનીએ એડિશન ટોકટાઈમ આપવાની કોઈ જાહેરાત નથી કરી.
ઉલ્લેખનીય છે કે સોમવારે ટેલિકોમ અથોરિટીએ દેશની તમામ ટેલિકોમ કંપનીઓને વેલિડિટી પિરિયડ વધારવા માટે પૂછ્યું હતું. સરકારી કંપની BSNL અને એરટેલે તેને લાગુ કરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dJ29LG
No comments:
Post a Comment