Sunday, 31 May 2020

કોન્ટેક્ટલેસ મેડિસીન અને ફૂડ ડિલીવરી માટે ઔરંગાબાદના 7માં ધોરણના સાઈ સુરેશે ‘શોર્ય’ રોબોટ બનાવ્યો

ભારતમાં 1 જૂનથી અનલોક 1ની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાવાઈરસના કહેર વચ્ચે તેનાથી બચીને રહેવું એ જ માત્ર ઉપાય છે. હોસ્પિટલમાં કામ કરતાં ફ્રન્ટલાઈન વોરિયર્સ કોરોનાવાઈરસના દર્દીઓ સાથે ઓછાં સંપર્કમાં આવે તે જરૂરી છે. તેના માટે ઔરંગાબાદના 7માં ધોરણના સાઈ સુરેશે ‘શોર્ય’ રોબોટ બનાવ્યો છે. આ રોબોટ કોન્ટેક્ટલેસ મેડિસીન અને ફૂડ ડિલિવરી કરે છે.

સાઈ સુરેશે, ANIની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રોબોટ બેટરીથી ચાલે છે અને તેને સ્માર્ટફોનથી કન્ટ્રોલ કરી શકાય છે. તે 1 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે.

જૂના ગેજેટ્સની મદદથી સાઈએ આ રોબોટ બનાવ્યો

આ રોબોટ બનાવવાનો હેતુ મેડિકલ સ્ટાફનના ફિઝિકલ કોન્ટેક્ટને ઓછો કરવાનો છે. તેને લીધે કોરોનાવાઈરસનું જોખમ ઘટાડી શકાય છે. આ રોબોટ 360 ડિગ્રી ડાબી અને જમણી બાજુ ફરી શકે છે. જૂના ગેજેટ્સની મદદથી સાઈએ આ રોબોટ બનાવ્યો છે.

સાઈના પિતાએ ANIને જણાવ્યુ હતું કે, સાઈને બાળપણથી જ ગેજેટ અને ઈલેક્ટ્રોનિક્સમાં રુચિ છે. તેના જન્મદિવસ પર તેને ઈલેક્ટ્રોનિક્સ આઈટેમ્સની ગિફ્ટ આપતા હતા. લોકડાઉનમાં તેને આવી કોઈ ગિફ્ટ ન મળતા સાઈને આ રોબોટ બનાવવાનો વિચાર આવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Aurangabad's 7th standard Sai Suresh builds 'Shorya' robot for contactless medicine and food delivery


from Divya Bhaskar https://ift.tt/2ZWMyDx

No comments:

Post a Comment